Logo

“Arise, awake, stop not until your goal is achieved.”

– Swami Vivekananda

Our Activities & Events

Gallery

સરસ્વતીના ઉપાસકો ને વલ્લભવિદ્યાનગરમાં વિદ્યામંદિરની સાથે-સાથે ચિંતન-મનન કરવા માટે નો ઓટલો કે પોતાનીકું વ્યવસ્થિત નિવાસ સ્થાન ઉપલબ્ધ થાય અને સિદ્ધિ મેળવવા અનુષ્ઠાન કરી શકે તેવી પવિત્ર જગ્યા હોવી અનિવાર્ય છે. આ પ્રકાર ની કલ્પનાનું આપણાં જ સમાજના વિદ્યાપ્રેમીઓ, ઉપાસકો અને ભામાશાઓના મનમંદિરમાં સ્ફુરણ થયું, એ જ કલ્પનાના મજબૂત પાયા પર તારીખઃ ૦૭-૦૯-૧૯૬૯, શનિવાર જેવા બળવાન દિવસે અમદાવાદ મુકામે શ્રી નરસિંહભાઈ ઉકાભાઈ પટેલ ના નિવાસ સ્થાને સાંજ ના ૦૬:૩૦ કલાકે ૪૫ જેટલા જ્ઞાતિબંધુઓ ઉપરોક્ત કલ્પનાને પ્રબળ વિચાર બનાવવા એકત્રિત થયા હતા અને અહીં વલ્લભવિદ્યાનગરમાં છાત્રાલય નિર્માણનું આયોજન થયું, ત્યારે બેઠકના પ્રમુખસ્થાને આદરણીય શ્રી નવલરામ નરભેરામ પટેલ દ્વારા ‘શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ – વલ્લભવિદ્યાનગર’ આ નામની ઘોષણા કરી અને મંડળની સૌ પ્રથમ એડહોક કમિટીની રચના થઈ જેમાં ૨૨ સભ્યશ્રીઓ હતા.